Sunday, April 10, 2011

જિત્વા: નિંદ્રાદેવીના શરણે




સામાન્ય રીતે તો સવારે 9.30 વાગ્યા આસપાસ મારો દિવસ ઉગે છે. પછી નાસ્તો અને સ્નાન વગેરે પતાવી રમવાનું ફરી બપોરે જમીને સુઇ જવાનું તે છેક 4-5 વાગ્યા આસપાસ ઉઠવાનું. ઉઠીને દૂધ પીવાનું અને ફરી રમવાનું સાંજે થોડી વાર મમ્મી સાથે ટીવી જોવાનું ત્યાં 9 થી 10 વચ્ચે પપ્પા આવે અને ફરી રમવાનું અને રાત્રે 11.30 - 12.00 આસપાસ મમ્મી જ્યારે ઠપકો આપે ત્યારે ઉંધવાનું આ મારો રોજીંદો ઘટનાક્રમ છે.

પણ આજે બપોરે જરા બરાબર ઉંધ થઇ નહોંતી આથી સાંજે પપ્પાના ખોળામાં રમતા રમતા જ હું નિંદ્રા દેવીના શરણે જતી રહી. જુઓ હું નિંદરમાં હતી ત્યારે પપ્પાએ પાડેલા ફોટાઓ.

- તમારી જિત્વા

No comments:

Post a Comment