

પ્રત્યાયન એટલે કે કોમ્યુનિકેશનનો એક પ્રકાર છે સાંકેતીક પ્રત્યાયન. આજકાલ હું પણ સાંકેતીક પ્રત્યાયન કરતી થઇ ગઇ છું. મને હવે રાધે-રાધે અને ટાટા કેમ કહેવાય તેની ખબર પડી ગઇ છે.
જ્યારે પપ્પા કે મમ્મી રાધે રાધે કહે ત્યારે હું મારા નાના હાથો વડે તાલીઓ પાડીને રાધે-રાધે કરવા માંડુ છું અને કોઇ બહાર જાય અને આવજો કહે ત્યારે હું હાથ હલાવીને વેવ કરવા માંડુ છું. જો કે હજુ મને પંજો ઉંચો રાખીને હાથ હલાવતા નથી આવડતું પણ થોડા સમયમાં હું તે પણ શીખી જઇશ.
- તમારી જિત્વા
No comments:
Post a Comment