Wednesday, December 21, 2011

પુત્રીને અણમોલ સલાહ...



(અપની બેટી જોયા કે નામ)

યે જીવન એક રાહ નહીં
એક દોરાહા હૈ
પહલા રસ્તા
બહુત સહલ હૈ
ઈસ મેં કોઈ મોડ નહીં હૈ
યે રસ્તા
ઈસ દુનિયા સે બેજોડ નહીં હૈ
ઈસ રસ્તો પર મિલતે હૈં
રીતોં કે આંગન
ઈસ રસ્તે પર મિલતે હૈં
રિશ્તોં કે બંધન
ઈસ રસ્તે પર ચલનેવાલે
કહને કો સબ સુખ પાતે હૈં
લેકિન
ટુકડે ટુકડે હોકર
સબ રિશ્તોં મેં બંટ જાતે હૈં
અપને પલ્લે કુછ નહીં બચતા
બચતી હૈ
બેનામ સી ઉલઝન
બચતા હૈ
સાંસો કા ઇંધન
જિસમેં ઉનકી અપની હર પહચાન
ઔર ઉનકે સારે સપને
જલ બુઝતે હૈં
ઈસ રસ્તે પર ચલનેવાલે
ખુદકો ખોકર જગ પાતે હૈં
ઉપર ઉપર તો જીતે હૈં
અંદર-અંદર મર જાતે હૈ.
દૂસરા રાસ્તા
બહુત કઠિન હૈ
ઈસ રસ્તે મેં
કોઈ કિસી કે સાથ નહીં હૈ
કોઈ સહારા દેનેવાલા હાથ નહીં હૈ
ઈસ રસ્તે મેં
ઘૂપ હૈ
કોઈ છાંવ નહીં હૈ
જહાં તસલ્લી ભીખ મેં દેદે કોઈ કિસી કો
ઈસ રસ્તે મેં
ઐસા કોઈ ગાંવ નહીં હૈ
યે ઉન લોગોં કા રાસ્તા હૈ
જો ખુદ અપને તક જાતે હૈં
અપને આપકો જો પાતે હૈં
તુમ ઈસ રસ્તે પર હી ચલના.
મુઝે પતા હૈ
યે રસ્તા આસાન નહીં હૈ
લેકિન મુઝકો યે ગમ ભી હૈ
તુમકો અબ તક
કયૂં અપની પહચાન નહીં હૈ. - જાવેદ અખ્તર

જાવેદ અખ્તર ઉર્દૂ શાયર જાં નિસાર અખ્તરના પુત્ર છે, જાવેદ એક પિતા બન્યા પછી પુત્રી જોયાને ઉદ્દેશીને નઝમ લખે છે.

દરેક પિતાને તેના વ્હાલા સંતાનોને કંઈક કહેવું હોય છે. કોઈક ઉપદેશ આપવો હોય છે. એ ટોક-ટોક કરવા માટેની નિષ્ઠુર શિખામણ નથી હોતી, એ તો પૂરેપૂરી કાળજી સાથે કહેવાયેલો જીવનનો નિચોડ હોય છે. સંઘર્ષ ભોગવીને ઝઝૂમીને આગળ આવેલો પિતા પોતાની પુત્રીને કેવી શિખામણ આપે છે તેનું આ કાવ્ય છે.

જીવન એક રસ્તો નથી. જીવન તો બે રસ્તા ઉપર ઉભેલું ‘દોરાહા’ છે. એક રસ્તો બહુ સહેલો છે, સીધો છે, સરળ છે, કોઈ વળાંક નથી. એ રસ્તા ઉપર રીત-ભાતનું આંગણું છે. એ રસ્તે ચાલનારા બધા જ પ્રકારના સુખ પામે છે પણ દરેક સંબંધમાં ટૂકડા-ટૂકડામાં વહેંચાઈ ગયેલા હોય છે.

અનેક સંબંધોના ટૂકડાઓમાં વહેંચાયેલો માણસ પોતાના ભાગમાં તો જરાય બચતો જ નથી. પોતાના ભાગ્યમાં તો બચેલી હોય છે નામ આપ્યા વગરની મૂંઝવણો, સળગતા શ્વાસો જેની ઉપર જીંદગીની બધી જ ઓળખાણો અને સપનાઓ સળગીને રાખ થઈ જતા હોય છે.

દુનિયાના આ રસ્તે ચાલનારાઓ પોતાને ખોઈને આ સંસારને અને દુનિયાને પામતા હોય છે. ઉપર-ઉપરથી જીવતા હોય છે. સાવ ઉપરછલ્લું જીવતા હોય છે. અંદરથી મરી ગયેલા હોય છે.

બીજો રસ્તો ઘણો અઘરો છે. એ રસ્તે કોઈ કોઈની સાથે હોતું નથી. કોઈ સહારો આપનાર હોતું નથી. એ રસ્તે તડકો જ હોય છે કોઈ છાંયડો નથી હોતો. આ રસ્તે કોઈ એવું ગામ હોતું નથી જે ગામમાં કોઈ તમને દિલાસામય ભીખ આપે. જાવેદ કહે છે હે દીકરી આ રસ્તો એ લોકોનો છે જે લોકો પોતાના સુધી પહોંચે છે. જે પોતે પોતાને પામી જાય છે. તું આ જ રસ્તા પર ચાલજે.

મને ખબર છે આ રસ્તો સરળ નથી પણ મને એ દુઃખ છે કે તને હજુ સુધી તું કોણ છે તેની તને ઓળખ નથી થઈ? મા-બાપ જાણતા હોય છે કે તેનું બાળક કેટલું કીંમતી છે. દુનિયાદારીમાં કોઈ હોદ્દાઓ મેળવવા કરતાં પોતાની જાતને ઓળખવી એ બહુ મોટી ઘટના છે. જીંદગીના માટે એ જ પરમસત્ય છે.

- તમારી જિત્વા

(સૌજન્ય: ગુજરાત સમાચાર (શબ્દ સૂરને મેળે - રાજેશ વ્યાસ 'મિસ્કીન')(સહયોગ : કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટ)

No comments:

Post a Comment