Tuesday, May 8, 2012

ઓરી ચીરૈયા...નન્હી સી ચીડીયા...

રવિવારનો દિવસ સામાન્ય રીતે પપ્પા મારા માટે અનામત રાખતા હોય છે. પરંતુ શનિવાર રાતના હું દાદાના ઘરે જવા નીકળી હતી આથી આ રવિવારે હું ઘરે નહોતી, મારી ગેરહાજરીમાં પપ્પાએ મનભરીને છાપાઓ વાંચ્યા (સામાન્ય સંજોગોમાં હું વાંચવા દેતી નથી) અને ટીવી જોયું.

જેમાં પપ્પાએ જોયેલા આમિરખાનના પોગ્રામ "સત્યમેવ જયતે" માં સ્ત્રી ભૃણ હત્યાની વાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સમાજની આંખ ઉધાડનારો હતો.

આ કાર્યક્રમના અંતે રામ સંપટ દ્વારા કમ્પોઝ કરવામાં આવેલું અને સ્વાનંદ કિરકિરેના સ્વરે ગવાયેલું એક સરસ મજાનું ગીત રજુ થયું. તમે પણ સાંભળો આ સરસ મજાનું ગીત. અને હા ગીત કેવું લાગ્યું તે અંગેનો પ્રતિભાવ આપવાનું ભુલતા નહીં હો...

- તમારી જિત્વા

1 comment: