Wednesday, August 31, 2011

જે ઘર તડકો ના\'વે

આજે ઘરમાં બારી વાટે આવતા તડકાને જોઇને મને આશ્વર્ય થયું, મેં વિચાર્યું કે બધી વસ્તુને પકડી શકાય તો તકડાને શા માટે નહીં ?


મેં બાળસહજ ભાવે તડકાને પકડવાની મથામણ કરી, તડકો પકડવામાં તો મને સફળતા ન મળી પણ કંઇક કર્યાનો આનંદ જરૂર થયો.

તકડાની જ વાત નીકળી છે તો વાંચો ઉશનસની આ સરસ મજાની રચના.

જે ઘર તડકો ના\'વે
ઉષ્માભર જ્યાં ‘આવો’ કહી કો ભાવથી ના બોલાવે,
શું કરવા જઈએ એવે ઘર, જે ઘર તડકો ના’વે?
સપ્તભોમ આવાસ ભલે હો, આરસની હો ભીંત,
પણ જો એ ઘર કોઈ ન બોલે, અધરે ના હોય સ્મિત,
શું જવું ત્યાં જ્યાં પંખી ના’વે નભ પણ ના’વે?
એહની સંગ શુ હસવું? એહની સંગે વાત શી લેશ,
એનો હાથ પકડીએ શીદને? દઈએ શેં આશ્વેષ
જેને અડક્યાવેંત ઉમળકે હૈયે થડકો ના’વે?    
   (સૌજન્ય : www.tahuko.com)      - ઉશનસ્ 

- તમારી જિત્વા

No comments:

Post a Comment